મકાનમાલિકે બિલ્ડર પાસેથી એનઓસી લેવાની જરૂર નથી : પૃથ્વીરાજ ચવાણ

02 October, 2012 04:51 AM IST  | 

મકાનમાલિકે બિલ્ડર પાસેથી એનઓસી લેવાની જરૂર નથી : પૃથ્વીરાજ ચવાણ

આ મામલામાં નિવેદન આપતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘ફ્લૅટમાલિકે પોતાના ફ્લૅટના સેલિંગ કે રીસેલિંગ માટે બિલ્ડર પાસેથી એનઓસી લેવાની કોઈ જરૂર નથી. મહારાષ્ટ્ર ઓનરશિપ ઑફ ફ્લૅટ્સ ઍક્ટ અંતર્ગત આવી કોઈ જોગવાઈ નથી. આને કારણે ફ્લૅટમાલિકો પર એનઓસી લેવાનું દબાણ કરવું એ ગેરકાયદે પ્રવૃત્તિ છે જે અટકવી જોઈએ.’

મુખ્ય પ્રધાનને ફરિયાદો મળી હતી એમાં જણાવવામાં આવ્યું હતું કે બિલ્ડિંગ બની જાય એ પછી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના નિર્માણમાં વિલંબ કરવામાં આવે છે. પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે જો કોઈ સરકારી અધિકારી ફ્લૅટમાલિક પાસે એનઓસી માગે તો તેણે આ વાત સરકારના ધ્યાન પર લાવવી જોઈએ.