12 November, 2012 03:27 AM IST |
આ પહેલાં અજિત પવાર રાજ્યના ઊર્જાપ્રધાન હતા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે ડિસેમ્બરના અંત સુધીમાં રાજ્યમાંથી લોડશેડિંગની સમસ્યાનો અંત લાવવામાં આવશે.
કૉન્ગ્રેસ-એનસીપીનું ગઠબંધન ૨૦૧૪માં પણ રહેશે
રાજ્યના મુખ્ય પ્રધાનપદે બે વર્ષ પૂરાં કરનાર પૃથ્વીરાજ ચવાણે ગઈ કાલે કહ્યું હતું કે ‘૨૦૧૪માં રાજ્યમાં યોજાનારી ચૂંટણીમાં કૉન્ગ્રેસ અને એનસીપી સાથે મળીને જ લડશે અને તેમની વચ્ચેનું ગઠબંધન ચાલુ જ રહેશે. અમારી વચ્ચે હવે કોઈ કડવાશ નથી. જોકે થોડો ઘણો ખટરાગ લોકલ બૉડીની ચૂંટણી વખતે ઊભો થયો હતો, પરંતુ હવે એવું કશું નથી. અમારે સાથે મળીને રાજ્યમાં અને દિલ્હીમાં કામ કરવાનું છે. અમે હવે આવનારી ૨૦૧૪ની વિધાનસભાની અને ત્યાર બાદની લોકસભાની ચૂંટણી પર અમારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બન્ને ચૂંટણીઓ અમે સાથે મળીને જ લડીશું.’