આ વર્ષે એક પણ એન્કાઉન્ટર નહીં

29 December, 2011 05:11 AM IST  | 

આ વર્ષે એક પણ એન્કાઉન્ટર નહીં

 

આ ઉપરાંત એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ તરીકે જાણીતા અધિકારીઓની ખોટ પણ આમાં કારણભૂત ગણાવી શકાય. ગયા દશકની શરૂઆતમાં એટલે કે ૨૦૦૧માં મુંબઈપોલીસે ૯૪ એન્કાઉન્ટર કર્યા હતાં. કુલ ૨૭૨ એન્કાઉન્ટરોમાં છોટા રાજનની ગૅન્ગના ૯૭ ગુંડા અને દાઉદની ગૅન્ગના ૪૬ ગુંડાને પોલીસે ઠાર માર્યા હતા, પરંતુ દશકાના અંતમાં આ આંકડો ઘટતાં ૨૦૧૦માં માત્ર સાત એન્કાઉન્ટર થયાં હતાં.

એક વરિષ્ઠ પોલીસ-અધિકારીના મતે છેલ્લા દશકામાં થયેલાં એન્કાઉન્ટરમાં મોટા ભાગના ગુંડાઓ માર્યા ગયા હતા. વળી અમુક દેશ છોડી પલાયન થઈ ગયા હતા એટલે નાના ગુનેગારો પર કાબૂ મેળવવા એન્કાઉન્ટરની ગરજ ન રહી. માનવઅધિકાર પંચની સક્રિયતાને કારણે પણ એન્કાઉન્ટરના બનાવો ઓછા થયા છે.