હિંદુઓ પર આમ જ હુમલા થતા રહ્યા, તો અમને પણ કોઈ અટકાવી નહીં શકે-નિતેશ રાણે

06 August, 2022 09:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નૂપુર શર્મા પ્રકરણ પૂરું થઈ ગયું છે, પણ હિંદુઓ પર હુમલા જળવાયેલા છે. આપણે આંબેડકરની ધરતી પર રહીએ છીએ પણ જો આવું જ ચાલતું રહ્યું તો અમારા હાથ પણ કોઈએ રોક્યા નથી. 

નિતેશ રાણે (ફાઈલ તસવીર)

BJP વિધેયક અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના દીકરા નિતેશ રાણેએ આજે પોતાના હિંદૂ હોવાને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નૂપુર શર્મા વિવાદ પછી ઉદયપુર, અમરાવતી અને અહમદનગરમાં પણ ઘટનાઓ થઈ હતી. નૂપુર શર્મા પ્રકરણ પૂરું થઈ ગયું છે, પણ હિંદુઓ પર હુમલા જળવાયેલા છે. આપણે આંબેડકરની ધરતી પર રહીએ છીએ પણ જો આવું જ ચાલતું રહ્યું તો અમારા હાથ પણ કોઈએ રોક્યા નથી. 

રાણેએ કહ્યું કકે જો હિંદુઓને નિશાનો બનાવવામાં આવ્યા તો અમે પણ એ જ જવાબ આપીશું. આ આંબેડકરની ભૂમિ છે. શરિા કાયદો આપણા પર બાધ્ય નથી. સોશિયલ મીડિયા પર અમારા દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોઈને મારી નાખવાનો પ્રયત્ન નથી થયો, પણ જો અમારા લોકોનું અપમાન અને હત્યા આમ જ ચાલુ રહેશે તો અમારે અમારી ત્રીજી આંખ ખોલવી પડશે. આ મારો સંદેશ હું આજે આપવા માગું છું.

નિતેશ રાણેએ કહ્યું, 4 ઑગસ્ટના પ્રતીક પવાર નામના એક યુવક પર લગભગ 10-15 મુસ્લિમોએ હુમલો કરી દીધો. તેના પર એ કહીને હુમલો કરવામાં આવ્યો છે કે તે એક ધર્મનિષ્ઠ હિંદૂનું કામ કરે છે અને બધાને ડીપી બદલવા માટે કહી રહ્યા છે. તે પોતાનું જીવન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. રાણેએ કહ્યું કે નૂપુર શર્માનો એપિસોડ પૂરો થઈ ગયો છે, પણ હવે કેટલા લોકોને જીવ આપવો પડશે?

નિતેશ રાણેએ તાજેતરમાં દાવો કર્યો હતો કે તેમના પિતા શિવસેના છોડ્યા પછી ખતમ કરવાની યોજના બનાવવામાં આવી હતી. નિતેશ રાણેએ ટ્વીટ કરીને આરોપ મૂક્યો હતો કે તથાકથિત શાંત અને સભ્ય શિવસેના પ્રમુખે તેમની હત્યા માટે કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. 

નિતેશ રાણેએ ટ્વીટ કરીને લખ્યું હતું, "એકનાથ શિંદેજીની જેમ, શિવસેના છોડવા પર મારા પિતાને પણ ખતમ કરવા માટે તથાકથિત શાંત અને સભ્ય સેના પ્રમુખ દ્વારા અનેક `સુપારી` આપવામાં આવી. મ્યાઉ મ્યાઉ ખતમ થવા દો, પછી આપણે રુચિ સાથે `વસ્ત્રહરણ` શરૂ કરીશું."

Mumbai mumbai news maharashtra nitesh rane