પરેલમાં બાંધવામાં આવશે નવું પ્લૅટફૉર્મ

31 October, 2011 08:27 PM IST  | 

પરેલમાં બાંધવામાં આવશે નવું પ્લૅટફૉર્મ

 

પીક-અવર્સ દરમ્યાન પરેલ સ્ટેશનમાં આવેલા ફૂટઓવર બ્રિજમાંથી પસાર થવું મુશ્કેલ હોવાથી નાછૂટકે મુસાફરોએ ટ્રૅક પરથી જવું પડતું હતું. સેન્ટ્રલ રેલવે દ્વારા આ તમામ ફરિયાદો પર ધ્યાન આપી અહીં ડબલ  ડિસ્ચાર્જ પ્લૅટફૉર્મ બાંધવાનો નિર્ણય લીધો છે. આમ સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ)થી આવતી ટ્રેનની બન્ને સાઇડ પ્લૅટફૉર્મ હશે. સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા વિદ્યાધર માલેગાંવકરે કહ્યું હતું કે આ પ્લૅટફૉર્મના નિર્માણનું કાર્ય શરૂ થતાં હજી થોડો સમય લાગશે.