આવતી કાલે શરદ પવારની સર્જરી થશે

30 March, 2021 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પિત્તાશયની તકલીફ હોવાનું નિદાન થયા બાદ તેઓ મુંબઈની બ્રીચકૅન્ડી હોસ્પિટલમાં સર્જરી કરાવશે

ફાઇલ તસવીર

એનસીપી સુપ્રિમો શરદ પવારને પિત્તાશયની તકલીફ હોવાનું નિદાન થયા બાદ તેઓ મુંબઈની બ્રીચકૅન્ડી હોસ્પિટલમાં સર્જરી કરાવશે એવી માહિતી રાજ્ય સરકારના એક પ્રધાને ગઈ કાલે આપી હતી.

એનસીપીના મુંબઈ એકમના પ્રમુખ અને પ્રવક્તા નવાબ મલિકે ટ્વીટ કરતાં કહ્યું હતું કે એનસીપીના પ્રમુખ શરદ પવાર સાહેબને પેટમાં દુખાવો થતાં તેમને બીચ કેન્ડી હોસ્પિટલમાં ચેક-અપ માટે લઈ જવાયા હતાં, જ્યાં તેમને પિત્તાશયમાં તકલીફ હોવાનું નિદાન થયું હતું. 

તેઓ લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યાં હતાં, જે આ નિદાન બાદ બંધ કરવામાં આવી છે. તેમને ૩૧ માર્ચે હોસ્પિટલમં દાખલ કરાશે, જ્યાં તેમના પર એન્ડોસ્કોપી અને સર્જરી કરાશે, પરિણામે આગામી સૂચના ન મળે ત્યાં સુધી તેમના બધાં જ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતાં. 

mumbai mumbai news nationalist congress party sharad pawar breach candy hospital