પિંપરી ચિંચવડના એનસીપીના કૉર્પોરેટરનું કોરોનાને લીધે મોત

05 July, 2020 12:44 PM IST  |  Mumbai | Agencies

પિંપરી ચિંચવડના એનસીપીના કૉર્પોરેટરનું કોરોનાને લીધે મોત

દત્તા સાને

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પિંપરી ચિંચવડના એનસીપીના કૉર્પોરેટરનું શનિવારે કોરોના વાઇરસને કારણે હૉસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
તાજેતરમાં તેમનો કોરોનાનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. તેઓ પિંપરી ચિંચવડની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમને અન્ય કેટલીક બીમારીઓ પણ હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
એનસીપીના આ નેતા મહામારી દરમ્યાન ઔદ્યોગિક ટાઉનશિપમાં રાહતકાર્યમાં ક્રિય રીતે સંકળાયેલા હતા, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

pune mumbai news mumbai