નારાયણ રાણે પર મોતિયાની સફળ સર્જરી

28 September, 2011 05:17 PM IST  | 

નારાયણ રાણે પર મોતિયાની સફળ સર્જરી

 


નારાયણ રાણેને છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઇપ ટૂ ડાયાબિટીઝ છે અને છેલ્લા કેટલાક સમયથી તેમના શુગર-લેવલમાં ભારે ફેરફાર થઈ રહ્યા હતા જેના પર નિયંત્રણ મેળવવા ડૉક્ટરોએ તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. નારાયણ રાણેને ડાયાબિટીઝ સિવાય હાઇપરટેન્શનની સમસ્યા પણ સતાવે છે. ડૉક્ટરોનું કહેવું છે કે શુગરના લેવલમાં ભારે ફેરફાર થવાથી સ્ટ્રોક અને હાર્ટઅટૅકનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે. વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત ખાણી-પીણીની આદતોને કારણે શુગર-લેવલમાં ભારે ફેરફાર નોંધાય છે.