11 February, 2020 07:44 AM IST | Mumbai | Prajakta Kasale
સ્કાયવૉક
બીએમસીના એન્જિનિયર્સના મતે બાંદરાના સ્કાયવૉકનાં પગથિયાંનું સમારકામ કર્યા છતાં એ જાહેર જનતાના ઉપયોગ માટે સુરક્ષિત નહીં ઠરે એથી બીએમસીના બ્રિજ ડિપાર્ટમેન્ટે બાંદરાનો સ્કાયવૉક તોડી પાડવાની ભલામણ કરતાં શહેરનો સૌથી પહેલાં બંધાયેલો બાંદરાનો સ્કાયવૉક તોડી પાડવામાં આવી રહ્યો છે.
માર્ચ ૨૦૧૯માં હિમાલય બ્રિજ તૂટી પડ્યા બાદ સાવચેતીના પગલારૂપે એમએમઆરડીએ દ્વારા ૨૦૦૮માં બંધાયેલો સ્કાયવૉક ગયા વર્ષે જૂન મહિનામાં બંધ કરવામાં આવ્યો હતો. હવે બીએમસી આ સ્કાયવૉકના સ્થાને બીજો નવો સ્કાયવૉક બાંધશે.