01 February, 2022 08:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં ઓમિક્રોનનો વધતો વ્યાપ જોવા મળી રહ્યો છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી, કોરોના વાયરસના કેસની ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આ પૃષ્ઠભૂમિ પર રાજ્ય સરકારે ફરી એકવાર રાજ્યના નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે. કેસમાં ઘટાડો થવાને કારણે મુંબઈમાં નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ આજથી એટલે કે 1લી ફેબ્રુઆરીથી મુંબઈમાં નાઈટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ મુંબઈમાં બીચ, ગાર્ડન અને પાર્ક ફરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 50 ટકા ક્ષમતા સાથે સ્વિમિંગ પૂલ, વોટર પાર્ક, થીમ પાર્ક શરૂ કરવામાં આવશે.
રાજ્ય સરકારે સોમવારે ત્રીજી લહેર નિયંત્રણમાં આવ્યા બાદ રાજ્યમાં પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈમાં બે દિવસથી દર્દીઓની સંખ્યા એક હજારની અંદર છે. તેથી, હવે જ્યારે મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં છે, ત્યારે મુંબઈ મહાનગર પાલિકાએ આ નિર્ણય લીધો છે. લગ્ન અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો હવે ક્ષમતાના 25 ટકા અથવા વધુમાં વધુ 200 લોકોની હાજરીમાં યોજાવાની મંજૂરી છે.
નવા નિયમો પ્રમાણે શું બંધ, શું શરૂ?