02 March, 2021 09:50 AM IST | Mumbai | Mid-day Correspondent
ફાઈલ તસવીર
ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની સૂચના મુજબ ટીબીના દરેક પેશન્ટની નોંધ અને સારવાર કરવી ફરજિયાત કરવામાં આવી છે. એથી ટીબીના પેશન્ટ વિશે માહિતી ન આપવા બદલ પ્રાઇવેટ ડૉક્ટરો વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવાની તૈયારી વસઈ-વિરાર મહાનગરપાલિકાએ કરી છે. એ અનુસાર સારવાર માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં આવતા પેશન્ટમાં ટીબીનાં કોઈ પણ લક્ષણો દેખાય તો એની માહિતી આરોગ્ય વિભાગને આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ટીબીના પેશન્ટ વિશે માહિતી ન આપવા બદલ પ્રાઇવેટ ડૉક્ટર સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે એવી સ્પષ્ટતા વસઈ-વિરાર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.