હવે વિહાર જળાશય પણ છલકાયું

12 August, 2022 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિહારમાં ૨૭,૬૯૮ મિલ્યન લિટર પાણી સમાઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાંથી તાનસા, મોડકસાગર અને તુલસી તળાવ છલકાયા બાદ ગઈ કાલે સાંજે ૫.૩૦ વાગ્યે વિહાર તળાવ પણ છલકાઈ ગયું હતું. આમ હવે આ ચારે જળાશયોમાં એમની કૅપેસિટી જેટલા પાણીની આવક થઈ ગઈ છે. વિહારમાં ૨૭,૬૯૮ મિલ્યન લિટર પાણી સમાઈ શકે છે. હવે ભાત્સા તથા મિડલ અને અપર વૈતરણા એમ ત્રણ જ જળાશયો ફુલ થવાનાં બાકી રહ્યાં. મુંબઈને પાણી પૂરું પાડતાં આ સાત જળાશયોની કુલ કૅપેસિટી​ ૧૪.૪૭ લાખ મિલ્યન લિટર પાણીની છે.

mumbai mumbai news mumbai monsoon mumbai rains