15 February, 2019 09:32 AM IST |
મ્હાડા ચૂંટણી પહેલા યોજશે લોટરી
મુંબઇમાં ૨૩૮ ઘરો અને ૧૦૭ દુકાનો માટે લૉટરી નીકળશે એમ જણાવતાં મ્હાડાના અધ્યક્ષ ઉદય સામંતે કહ્યું હતું કે ‘પુણેમાં ૪૪૬૪ ઘરો માટે લૉટરી નીકળશે. નાશિકમાં ૧ હજાર ઘરો માટે લૉટરી નીકળશે. ઔરંગાબાદનાં ૮૦૦ ઘરો માટે આચારસંહિતા લાગુ થયા બાદ લૉટરી નીકળશે. કલ્યાણ, ડોમ્બિવલી, ખોણી પરિસરમાં ૯ હજાર ઘરો માટે લૉટરી નીકળશે. આ વર્ષે મુંબઈના પવઈ વિસ્તારમાં ઘરોની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે.’
મ્હાડાના કર્મચારીઓ માટે આ વર્ષે સાતમું વેતનપંચ લાગુ થવાની ઘોષણા પણ ઉદય સામંતે કરી હતી.