14 October, 2020 05:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ મેટ્રો
મહારાષ્ટ્ર સરકારે ‘મિશન બીગીન અગેન’ અંતર્ગત આવતી કાલથી વર્સોવા ઘાટકોપર લાઈન-1ને ચાલુ કરવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકાર દ્વારા આ બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ફક્ત મેટ્રો સત્તા દ્વારા અધિકૃત જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
સરકારી અને પ્રાઈવેટ લાઈબ્રેરી પણ શરૂ કરવામાં આવશે. સાપ્તાહિક બજારો પણ શરૂ કરવાની મંજૂરી છે, તેમ જ નવી ગાઈડલાઈન્સ મુજબ બિઝનેસ ટુ બિઝનેસ એક્ઝિબિશન્સની પણ પરવાનગી છે.
ગરદીને ટાળવા માટે આવતી કાલથી દુકાનો બે કલાક વધુ ખુલ્લી રાખી શકાશે. તેમ જ એરપોર્ટ્સમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને કોવિડ-19 ટેસ્ટ પછી ઈન્ક લગાડવામાં આવશે નહીં. રેલવે સ્ટેશન્સમાં પણ હેલ્થ ચેકઅપ અને સ્ટેમ્પ લગાડવામાં નહીં આવે.