06 March, 2021 02:10 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
તસવીર સૌજન્ય રાજેશ ગુપ્તા
મુંબઇના મુલુંડ વિસ્તારમાં એક વ્યક્તિએ બિલ્ડિંગના છઠ્ઠા માળથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ વાતની માહિતી આપવા માટે જ્યારે પાડોશી તેના ઘરે પહોંચ્યા તો ત્યાં તેના પિતા અને દાદાના પણ મૃતદેહ પડ્યા હતા. એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે વ્યક્તિએ પહેલા પોતાના પિતા અને દાદાની હત્યા કરી અને તેના પછી પોતે બિલ્ડિંગ પરથી કૂદીને જીવ ગુમાવ્યો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહ કબજે લઇને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા છે.
મળતી માહિતી પ્રમાણે મુંબઇના મુલુંડ વિસ્તારમાં શનિવારે સવારે જ્યારે લોકો પોતાના ઘરમાં હતા તે સમયે એક વ્યક્તિએ બિલ્ડિંગના છઠ્ઠામાળેથી કૂદીનો પોતાનો જીવ ગુમાવ્યો. આ વાતની જાણ સોસાયટીના લોકોને થતાં તેમણે તરત પોલીસને આ માહિતી આપી.
જ્યાં સુધી પોલીસ આવે સોસાઇટીના સભ્યોએ તે વ્યક્તિના પરિજનોને તેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તે લોકો આ વ્યક્તિના ઘરે પહોંચ્યા તો દરવાજો બંધ હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે દરવાજો તોડ્યો તો ઘરની અંદર જ મૃતક યુવકના પિતા અને દાદાનો મૃતદેહ પડ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને લાગે છે કે યુવકે પહેલા પોતાના પિતા અને દાદાની હત્યા કરી અને તેના પછી પોતે બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.