27 December, 2020 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મંદિરમાં લાગી આગ. તસવીર સૌજન્ય - ANI
મુંબઈમાં શનિવારે રાત્રે એક મંદિરમાં લાગેલી આગમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત ચારકોપ વિસ્તારમાં સ્થિત એક મંદિરમાં થયો હતો, જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં અને એકને ઈજા થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચીને આ અંગે માહિતી આપી છે.
કાંદિવલી ચારકોપ વિસ્તારમાં શ્રી સાઈ સચ્ચિદાનંદ મંદિરમાં શનિવારે મોડી રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે અચાનક આગ લાગી ગઈ. આગ એટલી ભયંકર હતી કે મંદિરની અંદર સૂતા પૂજારીઓને પણ બહાર નીકળવાનો મોકો મળી શક્યો ન હતો. આ આગની ચપેટમાં મંદિરના બે પુજારીઓ આવી ગયા હતા અને ઘટના સ્થળે બન્નેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક પુજારીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટના સમયે મંદિરના સ્થાપક યુવરાજ પવાર, સુભાષ ઘોડે અને મોનુ ગુપ્તા ત્રણેય મંદિરમાં સૂઈ રહ્યા હતા. જ્યારે આ લોકોને આગનો ખ્યાલ આવ્યો ત્યારે ત્રણેય ઉભા થયા હતા અને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા પરંતુ મંદિરના તાળુ લાગવાને કારણે ત્રણેય મંદિરની અંદર ફસાઈ ગયા હતા.