મુંબઈ ક્રાઈમ: કાંદિવલીની જ્વેલરી શૉપમાં ધોળે દિવસે લૂંટ

23 January, 2020 11:54 AM IST  |  Mumbai | Samiullah Khan

મુંબઈ ક્રાઈમ: કાંદિવલીની જ્વેલરી શૉપમાં ધોળે દિવસે લૂંટ

પ્રામાણિક જ્વેલર્સ

કાંદિવલી ઇસ્ટના અશોક નગરમાં આવેલા પ્રામાણિક જ્વેલર્સને ત્યાં સવારના પહોરમાં અંદાજે ૧૧.૩૦ વાગે ત્રણ ચોરોએ આવી લૂટ મચાવી હતી પણ પોતાના કામમાં સફળ ન થતાં તેઓ ભાગી છૂટ્યા હતા. 

શૉપના માલિક પિરામલ જૈન દુકાન ખોલી પૂજા કરી રહ્યા હતા ત્યારે નવા જન્મેલા બા‍ળક માટે ચાંદીની વસ્તુ લેવાના બહાને એક ચોર દુકાનમાં દાખલ થયો હતો. જૈને તેમને થોડી વાર બહાર રાહ જોવા કહ્યું હતું પણ થોડીવારમાં એ ચોરે પાછા આવી જૈનનો કોલર પકડી તેના માથે બંદૂક તાકી રાખી હતી જ્યારે બીજા ચોરે કાચ તોડી જ્વેલરી ચોરવાનો પ્રયાસ કર્યો હતો પણ કાચ તૂટ્યો હતો. એટલામાં જૈને બૂમાબૂમ કરી મૂકી હતી અને આલાર્મ વગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ તેમાં સફળ નહોતા રહ્યા.

આ પણ વાંચો : મુંબઈ : મેટ્રોના પ્રવાસીઓને માસિક પાસમાં રાહત

બૂમાબૂમથી ગભરાયેલા ચોરો ભાગવા લાગ્યા હતા પણ કોઈના હાથે નહોતા આવ્યા. બાજુમાં આવેલી ઇલેક્ટ્રિક દુકાનના એક માણસે તેમને પથરો મારીને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં સફળતા મળી ન હતી. સમતાનગર પોલીસ તે ચોરોની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.

mumbai crime news mumbai crime branch Crime News kandivli mumbai news samiullah khan