પવઈમાં પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલા વૃદ્ધને પોલીસ શોધી રહી છે

12 February, 2020 07:46 AM IST  |  Mumbai

પવઈમાં પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલા વૃદ્ધને પોલીસ શોધી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પવઈની સુખશાંતિ સોસાયટીમાં રહેતા સિનિયર સિટિઝન અજિત લાડે તેના માથે બહુ જ દેવું થઈ જતા અને સતત બીમાર રહેતી પત્ની શીલાની હત્યા કરી નાસી ગયા છે. હાલ પોલીસ તેની શોધ ચલાવી રહી છે. સોમવારે રાતે ૯-૩૦ વાગ્યે શીલાનો હત્યા કરાયેલો મૃતદેહ તેમના ફ્લૅટમાંથી મળી આવ્યો હતો. અજિતે શીલાના માથા પર કોઈ વસ્તુથી પ્રહાર કર્યો હતો. એ ઉપરાંત તેણે તેના કાંડા પર પણ તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યો હતો. એટલેથી પણ સંતોષ ન થતાં તેણે તેને ગૂંગળાવીને મારી નાખી હતી. એ પછી તે નાસી ગયો હતો. તેણે જતાં પહેલાં પત્નીના મૃતદેહ પાસે ચિઠ્ઠી લખી હતી, જેમાં તેણે કહ્યું હતું હતું કે મારા પર બહુ જ દેવું ચડી ગયું હતું અને પત્ની પણ બહુ બીમાર રહેતી હતી એથી તેને મારી નાખી. હું પણ આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. દંપતીને કોઈ બાળકો નહોતા.

આ પણ વાંચો : મિડ-ડેના ફોટોજર્નલિસ્ટ આશિષ રાજેની મારઝૂડ કરનાર એક પોલીસ જવાન સસ્પેન્ડ

પવઇ પોલીસે એ ચિઠ્ઠીના આધારે હત્યાનો કેસ નોંધી અજિત લાડની શોધ ચાલુ કરી છે, પણ તેની શોધ ચલાવતા તેણે સુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ તેનો મૃતદેહ મળી આવ્યો નથી એ જ પ્રમાણે તે જાતે પણ મળી આવ્યો નથી, અમે તેની શોધ ચલાવી રહ્યા છીએ.

powai mumbai mumbai news Crime News mumbai crime news