07 February, 2021 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નેવીનો અધિકારી સૂરજકુમાર દુબે
ચેન્નઈ એરપોર્ટથી 30 જાન્યુઆરીએ અપહરણ કરાયેલા નૌકાદળને ગુનેગારોને ખંડણી ન મળતાં મહારાષ્ટ્રના પાલઘરમાં જીવંત બાળી નાખવામાં આવ્યો છે. શુક્રવારે ગંભીર રીતે દાઝી ગયેલા નૌકાદળનું હોસ્પિટલ જતા માર્ગમાં મોત નીપજ્યું હતું. અપહરણકારોની શોધ ચાલુ છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી.
પાલઘર પોલીસના પ્રવક્તા સચિન નવાડકરે જણાવ્યું કે નૌકાદળ સુરજ કુમાર દુબે ઝારખંડના ડાલટેનગંજનો રહેવાસી હતો. દુબે કોઈમ્બતુર નજીક આઈએનએસ અગ્રણી પર તૈનાત હતો.
30 જાન્યુઆરીએ રાંચીથી ચેન્નઈ માટે પકડી હતી ફ્લાઈટ
નવાડકરે જણાવ્યું કે મૃત્યુ પહેલા દુબેએ પૂર્ણ ઘટના વિશે જણાવ્યું હતું. દુબેએ જણાવ્યું કે રજા પૂરી થયા બાદ તેમણે 30 જાન્યુઆરીના રોજ સવારે રાંચીથી ચેન્નઈની ફ્લાઈટ પકડી હતી. ચેન્નઈ એરપોર્ટની બહાર રાત્રે ત્રણ લોકોએ હથિયારના દમ પર એમનું અપહરણ કર્યું હતું. તેમને ત્રણ દિવસથી ચેન્નઈમાં રાખવામાં આવ્યા હતા. અપહરણકારો તેમની પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર અપહરણકર્તાઓ દુબેને ચેન્નઇથી પાલઘરના તાલસારી વિસ્તારમાં રાખવામાં આવ્યા હતા. તેમની પાસે વારંવાર 10 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે તેણે ખંડણી ચૂકવવાની ના પાડી ત્યારે શુક્રવારે સવારે અપહરણકારોએ તેને ઘોલવડ નજીકના જંગલમાં હાથ-પગ બાંધી જીવતો સળગાવી દીધો હતો.
સ્થાનિક લોકોએ દુબેને ખરાબ રીતે દાઝી ગયેલા અવસ્થામાં જોયું ત્યારે પોલીસને આ અંગે સૂચના આપી હતી. પોલીસે જણાવ્યું કે 90 ટકા બળી ગયેલા અવસ્થામાં દુબેને દહાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા હતા. ત્યાંથી તેમને સારવાર માટે નૌકાદળ હોસ્પિટલ મુંબઈમાં લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલામાં આઈપીસી ધારા 302 હેઠળ હત્યા સહિત અન્ય ધારાઓમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
તેમ જ નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે જ્યારે આ ઘટના થઈ ત્યારે દુબે રજા પર હતા. તેમને સારવાર માટે મુંબઇની નૌકાદળની હોસ્પિટલ આઈએનએચએસ અશ્વિની લાવવામાં આવ્યા હતા, જ્યા તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.