09 August, 2020 11:51 AM IST | Mumbai | Anurag kamble
આવી પરિસ્થિતિમાં યુવક ૨૦ કલાક સુધી પડી રહ્યો હતો.
નૂર યુનુસ ખાન નામનો ૨૫ વર્ષનો યુવાન બાંધકામ હેઠળના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં પડી ગયા બાદ તેની છાતીમાં લોખંડનો સળિયો ઘૂસી જતાં તેનું મૃત્યુ થયું હતું. લગભગ ૨૦ કલાક સુધી ઘટના સ્થળે પડી રહ્યા બાદ ત્યાંથી પસાર થતા રાહદારીની નજર નુર ખાન પર પડી હતી.
ધારાવી પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો છે. નુર ખાનના પરિવારે બાંધકામના સ્થળે બેરિકેડ્સ ન મૂકવાને કારણે દુર્ઘટના બની હોવાનું જણાવતાં મેટ્રો કૉર્પોરેશન વિરુદ્ધ બેદરકારીનો કેસ દાખલ કરવાની માગણી કરી છે.