લોકલ ટ્રેન કેન્સલ થતા પાલઘર રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓએ આંદોલન કર્યું

02 December, 2020 05:42 PM IST  |  Mumbai | Rajendra B aklekar

લોકલ ટ્રેન કેન્સલ થતા પાલઘર રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓએ આંદોલન કર્યું

રેલ રોકો આંદોલન

આજે સવારે વેસ્ટર્ન રેલવેના પાલઘર સ્ટેશનમાં પહેલી લોકલ ટ્રેન કેન્સલ થતા પ્રવાસીઓએ રેલ રોકો આંદોલન કર્યું હતું. એક કલાક સુધી આ આંદોલન ચાલ્યુ હતું. દહાણુની ટ્રેનો આ મુશ્કેલીને બદલે નવા ટાઈમટેબલના હિસાબે દોડી રહી હતી.

એક પ્રવાસીએ કહ્યું કે, નવા ટાઈમટેબલના હિસાબે એક્સપ્રેસ ટ્રેનો પણ પ્રિપોન થઈ હતી તેથી સવારે પાંચ વાગીને 40 મિનીટ સુધી બે કલાકનો ગેપ આવતા ઓફિસ જનાર લોકોની હાલાકી થઈ હતી.

નવા ટાઈમટેબલના લીધે લોકલ સર્વિસીસનો પણ સમય બદલાયો છે. પ્રવાસીઓનું કહેવું છે કે, જ્યાં સુધી બધુ નોર્મલ ન થાય ત્યા સુધી ટાઈમટેબલમાં ફેરફાર કરવાની જરૂર નહોતી.

 

mumbai mumbai local train palghar