07 August, 2012 05:20 AM IST |
રાજેશ શર્માના બીજેપી છોડવાનાં કારણો વિશે વાત કરતાં બીજેપીની એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘પક્ષે તાજેતરની સ્ટેટ કાઉન્સિલની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આશિષ શેલાર અને ભાઈ ગિરકરને રજૂ કરતાં તેમને બહુ ખરાબ લાગ્યું હતું. રાજેશ શર્માને આશા હતી કે પક્ષ તેમને નૉમિનેટ કરશે, કારણ કે પક્ષ દ્વારા નજીકના ભવિષ્યમાં કોઈ ઉત્તર ભારતીયને નૉમિનેટ કરવામાં નથી આવ્યો. તેમનો દાવો હતો કે તેમને પક્ષના ઉત્તર ભારતીય નેતાઓનો તેમ જ વર્કરોનો પૂરેપૂરો ટેકો છે. તેમની નારાજગીને કારણે પક્ષમાં તડાં પડી ગયાં હતાં જે ચિંતાની બાબત બની જતાં તેમને બીજેપીના સ્ટેટ યુનિટ ચીફ સુધીર મુનગંટીવારે પક્ષમાંથી કાઢી નાખ્યા હતા જેને પગલે તેમણે કૉન્ગ્રેસમાં જોડાવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.’
બીજેપી = ભારતીય જનતા પાર્ટી