સીએસએમટી-ગેટવેના રૂટ પર બેસ્ટ બસની સર્વિસ ફરી શરૂ થઈ

07 March, 2020 07:48 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

સીએસએમટી-ગેટવેના રૂટ પર બેસ્ટ બસની સર્વિસ ફરી શરૂ થઈ

મિની બસ

મિડ-ડેએ ગઈ કાલે પ્રકાશિત કરેલા અહેવાલ બાદ શહેરના સીએસએમટી સ્ટેશનથી ગેટવે ઑફ ઇન્ડિયા તરફ જતી બસ એ-૧૦૧ ફરીથી શરૂ થઈ ગઈ હતી. ઉપરાંત નવી ચાર મિની બસો લાવવામાં આવી છે જે સીએસએમટી (ટ્રાફિક આઇલૅન્ડથી) અને ડૉ. એસ. પી. મુખરજી ચોક સુધી દોડાવાશે. જોકે હજી પણ મુસાફરો દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે શૅરિંગવાળી રિક્ષા અને ટૅક્સી યુનિયન દ્વારા બેસ્ટ પર શહેરના ઘણા વિસ્તારોમાંથી બસ સર્વિસ બંધ કરવાનું દબાણ નાખવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચો : મુંબઈ : માહુલના રહેવાસીઓને ગોરાઈમાં હંગામી ધોરણે ફ્લૅટ્સ ફાળવાયા

તમામ બાબતો વચ્ચે બેસ્ટના સ્પોક્સ પર્સને મુસાફરોની વાત પર અસ્વીકૃત‌િ આપી હતી. તેમણે ગઈ કાલે એક ટ્વીટ કરી કહ્યું હતું કે અમે સર્વિસ પાછી શરૂ કરી રહ્યા હતા, કારણ કે આ જ બસ રૂટ એ-૧૧૧ પર દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત નવી સાત સિંગલ ડેકર બસો સીએસએમટીથી કોલાબા બસ-સ્ટેશન પર શરૂ કરવામાં આવી હતી.

chhatrapati shivaji terminus gateway of india churchgate brihanmumbai electricity supply and transport rajendra aklekar