ટેલવિન્ડને કારણે ઍરર્પોટનો મેઇન રન-વે સાડાત્રણ કલાક બંધ રહ્યો

01 November, 2011 07:58 PM IST  | 

ટેલવિન્ડને કારણે ઍરર્પોટનો મેઇન રન-વે સાડાત્રણ કલાક બંધ રહ્યો

 

ઍર ટ્રાફિક કન્ટ્રોલના અધિકારીઓએ કહ્યું કે સેકન્ડરી રન-વે પરથી દર કલાકે ૨૮ ઉડાન જ શક્ય છે, જ્યારે મુખ્ય રન-વે પરથી દર કલાકે ૩૨ ઉડાન શક્ય છે. અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે જો આ પવન ફૂંકાવાની ઘટના બપોરની જગ્યાએ રાત્રે થઈ હોત તો સમસ્યા વધુ વકરી હોત, કારણ કે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ નિયમ પ્રમાણે સેકન્ડરી રન-વે પર લૅન્ડ કરવાની ના પાડી દેવાઈ હોત. ટેલવિન્ડને કારણે મેઇન રન-વે ગઈ કાલે સવારે ૧૦.૪૦થી બપોરે ૨.૨૦ વાગ્યા સુધી બંધ રહ્યો હતો તેમ જ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અંદાજે ૧૦ મિનિટ મોડી પડી હતી.