07 March, 2021 07:14 AM IST | Mumbai | Mid-day Correspondent
પ્રજ્ઞા ઠાકુર
મધ્ય પ્રદેશના ભોપાલનાં બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા ઠાકુરને શનિવારે બપોરે શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને રાજ્ય સરકારના પ્લેન દ્વારા મુંબઈ લાવી કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં છે. ઘણા દિવસથી તેઓ રોજેરોજ બેઠકો કરી રહ્યાં છે. કાલે પણ તેઓ ભોપાલમાં દિશા સમિતિની પંચાયત ઑફિસમાં આયોજિત કરાયેલી બેઠકમાં હાજરી આપવા જવાનાં હતાં, પણ શ્વાસ લેવામાં તકલીફ પડતાં તાત્કાલિક મુંબઈ લાવવામાં આવ્યાં હતાં.