જમાઈના મૃત્યુનો આઘાત સહન નહીં થતાં સાસુનું પણ અવસાન

09 August, 2012 05:15 AM IST  | 

જમાઈના મૃત્યુનો આઘાત સહન નહીં થતાં સાસુનું પણ અવસાન

 

 

(સપના દેસાઈ)


મુંબઈ, તા. ૯


મુલુંડ (વેસ્ટ)માં જૈન રોડ પર આવેલા પ્રતાપ પૅલેસમાં રહેતા જાણીતા સમાજસેવક અને હાર્ડવેરનો બિઝનેસ ધરાવતા જિતેન્દ્ર શાહ (વલભીપુરવાળા)નું ગઈ કાલે સવારે લગભગ ૧૦ વાગ્યે હાર્ટઅટૅક આવતાં મૃત્યુ થયું હતું. મૂળ વલભીપુરના ઘોઘારી વીસા જૈન જ્ઞાતિના ૬૨ વર્ષના જિતેન્દ્રભાઈના અચાનક અવસાનને પગલે તેમના પરિવારજનો તો આઘાતમાં હતા જ, પણ ગઈ કાલે સવારે જ્યારે તેમની નનામી નીકળી ત્યારે છેલ્લા એક વર્ષથી તેમના પરિવાર સાથે રહેતાં તેમનાં ૭૫ વર્ષનાં સાસુ મધુકાન્તા અમૃતલાલ શાહ જમાઈના મૃત્યુનો આઘાત સહન ન કરી શક્યાં અને તેમને અટૅક આવ્યો હતો અને તેમનું તુરંત મૃત્યુ થયું હતું, જેને પગલે આખા મુલુંડમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.