સોમવાર અને મંગળવારે રાતના બાર વાગ્યા સુધી ગરબા રમી શકાશે

21 October, 2012 03:20 AM IST  | 

સોમવાર અને મંગળવારે રાતના બાર વાગ્યા સુધી ગરબા રમી શકાશે

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર લાઉડ-સ્પીકરની મર્યાદા રાતના દસ વાગ્યા સુધીની છે, પણ રાજ્ય સરકાર વર્ષના અમુક દિવસો દરમ્યાન રાતના બાર વાગ્યા સુધી લાઉડ-સ્પીકરની મંજૂરી આપી શકે છે. એ મુજબ નવરાત્રિમાં આવતી કાલે અને મંગળવારે રાતના બાર વાગ્યા સુધી લાઉડ-સ્પીકર વગાડવાની મંજૂરી મળી હોવાથી ગરબાપ્રેમીઓ આ બે દિવસ સુધી બાર વાગ્યા સુધી ઝૂમી શકશે.