ઇન્ડિયા બુલ્સનો પ્રોજેક્ટ બંધ થશે તો પણ ચાલશે : રાજ ઠાકરે

25 March, 2013 05:39 AM IST  | 

ઇન્ડિયા બુલ્સનો પ્રોજેક્ટ બંધ થશે તો પણ ચાલશે : રાજ ઠાકરે

અમરાવતીથી ૨૫ કિલોમીટર દૂર આવેલા ઇન્ડિયા બુલ્સના થર્મલ પ્લાન્ટને અપર વર્ધા ડૅમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. જેનો ખેડૂત વિરોધ કરી રહ્યા છે. સરકાર અમારી ખેતીનું પાણી ઇન્ડિયા બુલ્સને આપી રહી છે. આ બાબતે રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘અત્યારે રાજ્યમાં દુકાળની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે સરકાર કંપનીઓને પાણી પૂરું પાડે છે. એને ખેડૂતોની કશી પડી નથી. એ પ્લાન્ટ બંધ થશે તો ચાલશે, પણ ખેડૂતોને પાણી મળવું જોઈએ.’  તેમના આ સ્ટેટમેન્ટ બાદ મુંબઈના એલ્ફિન્સ્ટનમાં આવેલી ઇન્ડિયા બુલ્સની ઑફિસ પર એમ.એન.એસ.ના કેટલાક સમર્થકોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં સિક્યૉરિટી કૅબિનનો કાચ તૂટી ગયો હતો.