પોર્ટ વિસ્તારની જમીન પરથી મેટ્રો પસાર થાય એવી શક્યતા

05 November, 2014 05:48 AM IST  | 

પોર્ટ વિસ્તારની જમીન પરથી મેટ્રો પસાર થાય એવી શક્યતા



મેટ્રોના માસ્ટર પ્લાન મુજબ હુતાત્મા ચોકથી ઘાટકોપર સુધી મેટ્રો કૉરિડોરની યોજના બનાવવામાં આવી હતી જે પોર્ટ વિસ્તારમાં થઈને જવાની હતી, પરંતુ આ યોજના પડતી મૂકવામાં આવી હતી, કારણ કે પોર્ટ વિસ્તારનો વિકાસ થયો નહોતોે અને એથી પૂરતા યાત્રીઓ મળે એમ નહોતું, પરંતુ જ્યારે નવી કેન્દ્ર સરકારે પોર્ટ વિસ્તારની જમીન વિકાસ માટે ખુલ્લી મૂકવાનો નિર્ણય કયોર્ ત્યારે એણે પોતાની યોજના પુનર્જીવિત કરી હતી.

કેન્દ્ર સરકાર જ્યારે પોર્ટની જમીનના વિકાસની યોજનાને મંજૂરી આપે ત્યાર બાદ આ વિશે અંતિમ નિર્ણય લેવામાં આવશે અને એ દરમ્યાન અન્ય મેટ્રોનું કામ રાબેતા મુજબ ચાલશે.