આકૃતિ સિટી પ્રોજેક્ટના મહત્વના દસ્તાવેજો એમઆઇડીસી પાસે નથી

04 November, 2011 09:16 PM IST  | 

આકૃતિ સિટી પ્રોજેક્ટના મહત્વના દસ્તાવેજો એમઆઇડીસી પાસે નથી



 

(વરુણ સિંહ)

મુંબઈ, તા. ૪


‘મિડ-ડે’ પાસે ઉપલબ્ધ દસ્તાવેજો પરથી એ સાબિત થાય છે કે એમઆઇડીસીના અધિકારીઓને છેક ૧૯૯૯થી આ દસ્તાવેજોની કોઈ જાણકારી નથી. મે ૨૦૦૮માં આકૃતિ સિટીએ એમઆઇડીસીને મોકલેલા એક પત્રમાં એવું જણાવ્યું છે કે સર્વે હાથ ધરવામાં આવ્યો ત્યારે એ દસ્તાવેજો તમારી સાયન ઑફિસને મોકલવામાં આવ્યા હતા.

આ પત્રના જવાબમાં એ જ મહિને એમઆઇડીસીએ આકૃતિ સિટીને એક પત્ર લખીને જણાવ્યું હતું કે આકૃતિ સિટી અને ઝૂંપડપટ્ટીવાસીઓ સાથે થયેલા ઍગ્રીમેન્ટના દસ્તાવેજો અમારી સમક્ષ રજૂ કરો.

ત્યાર પછી બે વર્ષ સુધી કશું ન બન્યું. એપ્રિલ ૨૦૧૦માં હાલના અધિકારીએ પોતાના પુરોગામી સાથે પત્રવ્યવહાર કરીને આ દસ્તાવેજો વિશે જાણકારી મેળવવાની કોશિશ કરી, પરંતુ કોઈ જ જાણકારી બહાર આવી નહોતી.

દરમ્યાન ઍડ્વોકેટ વાય. પી. સિંહે જણાવ્યું હતું કે જો એમઆઇડીસી દસ્તાવેજો સાચવી ન શકી હોય તો એણે પ્રાઇવેટ પાર્ટીને ગેરકાયદે મદદરૂપ થવાનું કામ કર્યું છે અને એ માટે એની સામે પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ, ૧૯૯૮ તથા અન્ય કાયદા હેઠળ એફઆઇઆર નોંધાવી શકાય.