મેટ્રો-ટ્રેના નિર્માણમાં થશે વધુ વિલંબ

15 November, 2011 10:29 AM IST  | 

મેટ્રો-ટ્રેના નિર્માણમાં થશે વધુ વિલંબ

 

આમ ભૂમિપૂજનને બે વર્ષ વીતી ગયાં હોવા છતાં બાંદરા તથા અંધેરી વચ્ચે રહેતા લોકોના વિરોધને જોતાં પણ કૉન્ગ્રેસ તથા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીને કોઈ નુકસાન ન પ્ાહોંચે એની તકેદારી લેતાં મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે આ કામગીરી મોડેથી શરૂ કરવાનો વિચાર કર્યો છે. આ ઉપરાંત મેટ્રો લાઇનની વિરુદ્ધમાં બૉમ્બે હાઈ ર્કોટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજીને જોતાં પણ મેટ્રો લાઇનનું કામકાજ શરૂ થવામાં વિલંબ થશે, ચૂંટણી ઉપરાંત મહત્વના એવા એક અન્ય કારણમાં પર્યાવરણ વિભાગે ચારકોપની જમીન પર એક કારડેપોના નિર્માણ માટે મનાઈ ફરમાવી છે.