માથેરાન ફરવા જનારાઓ માટે Good News

02 June, 2017 07:01 AM IST  | 

માથેરાન ફરવા જનારાઓ માટે Good News

અમન લૉજથી માથેરાન સુધીની આ ટૉય-ટ્રેન સર્વિસ સેન્ટ્રલ રેલવે ૧૮ જૂનથી ફરી શરૂ કરશે. આવતા અઠવાડિયામાં ટ્રેનની ૩ કિલોમીટર લાંબા સ્ટ્રેચમાં ટ્રાયલ શરૂ થશે.

ટૉય-ટ્રેનની દરરોજની છ સર્વિસ દોડશે.


ગઈ કાલે વહેલી સવારે નેરળ સ્ટેશન પર સેન્ટ્રલ રેલવેના અધિકારીઓ ટ્રેનના કોચ તેમ જ એન્જિનને જોડીને ટ્રાયલ માટેની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અમુક પર્યટકો ટ્રેનને જોઈને ટ્રેન-સર્વિસ ચાલુ છે એમ સમજી સ્ટેશન પર ભેગા થઈ ગયા હતા અને અમુક એમાં બેસી પણ ગયા હતા, પરંતુ થોડી વારમાં જ ટ્રેન ચાલુ નથી એવું જણાતાં પર્યટકો નિરાશ થયા હતા.

ટૉય-ટ્રેનમાં બેસવા પરિવાર સાથે ભરૂચથી માથેરાન ફરવા માટે આવેલા કે. દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ટ્રેન ચાલુ નથી એ જાણીને અમે નિરાશ થઈ ગયા હતા અને ફક્ત ટ્રેનમાં બેસી ફોટોગ્રાફ્સ પાડી માથેરાન રોડથી નીકળી ગયા હતા.