ચાંદિવલીના સ્ટુડિયોમાં લાગેલી આગમાં બે સિરિયલના સેટ ખાખ

26 October, 2014 05:43 AM IST  | 

ચાંદિવલીના સ્ટુડિયોમાં લાગેલી આગમાં બે સિરિયલના સેટ ખાખ


બળી ગયેલા સેટોમાં એકતા કપૂરની સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ અને ઝી ટીવી પર આવતી ‘કુમકુમ ભાગ્ય’ના સેટનો સમાવેશ છે. રાતના સવાદસ વાગ્યાની આસપાસ લાગેલી આગ ત્રણથી ચાર કલાકે કાબૂમાં આવી હતી, જેના માટે આઠ ફાયર-એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર-એન્જિનો સાથે બે ઍમ્બ્યુલન્સ પણ આવી હતી. કયાં કારણોથી આગ ફાટી નીકળી હતી એની હજી ખબર નથી પડી, પણ એમ માનવામાં આવી રહ્યું છે કે સ્ટુડિયોની બહાર ફટાકડા ફોડ્યા હોવાને કારણે આગ લાગી હતી. ઘટનામાં કોઈ પણ વ્યક્તિને હાનિ નથી પહોંચી અને બધા હેમખેમ છે એવું ‘યે હૈ મોહબ્બતેં’માં ઇશિતાનું પાત્ર ભજવતી દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર જણાવ્યું હતું.