08 March, 2021 09:02 AM IST | Aurangabad | Mid-day Correspondent
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના ચીફ રાજ ઠાકરે જાહેરમાં પોતે તો માસ્ક પહેરતા નથી તેમ જ બીજાને પણ એમ જ કરવાનું કહેતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાનો આરોપ કરીને ઔરંગાબાદના એક વકીલે તેમની સામે પોલીસમાં ફરિયાદ કરી છે. ક્રાન્તિ ચોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરનાર ઍડ્વોકેટ રત્નાકર ચૌરેએ કહ્યું હતું કે મીડિયા સમક્ષ રાજ ઠાકરેએ હું માસ્ક પહેરવાનો નથી એવું વિધાન કર્યું હતું.