મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર ટર્મ પૂરી કરશે : શરદ પવાર

11 June, 2021 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનસીપીના પ્રમુખ શરદ પવારે ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર એની આખી ટર્મ પૂરી કરશે. સાથે જ તેમણે સાથી પક્ષ શિવસેનાની પ્રશંસા કરતાં એને વિશ્વાસપાત્ર પક્ષ ગણાવ્યો હતો.

શરદ પવાર

એનસીપીના પ્રમુખ શરદ પવારે ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર એની આખી ટર્મ પૂરી કરશે. સાથે જ તેમણે સાથી પક્ષ શિવસેનાની પ્રશંસા કરતાં એને વિશ્વાસપાત્ર પક્ષ ગણાવ્યો હતો.

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે દિલ્હી ખાતે યોજાયેલી રૂબરૂ બેઠક તથા ગયા સપ્તાહે શરદ પવારની બીજેપીના નેતા અને ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠકની પૂર્વભૂમિકામાં તેમણે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.

એનસીપીના ૨૨મા સ્થાપના દિન પર વક્તવ્ય આપતાં શરદ પવારે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડી આગામી વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરશે. આ સાથે તેમણે ત્રણેય પક્ષો ૨૦૨૪ની ચૂંટણી સાથે મળીને લડી શકે છે એવો સંકેત આપ્યો હતો.
 

તેમણે જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકાર કેટલો સમય ટકશે એ અંગે શંકાઓ સેવાઈ રહી છે, પરંતુ શિવસેના વિશ્વસનીય પક્ષ છે. સરકાર એની ટર્મ પૂરી કરશે અને આગામી લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓમાં પણ સારો દેખાવ કરશે.’

mumbai mumbai news nationalist congress party sharad pawar maharashtra