29 October, 2020 07:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
દેશમાં હાલ કોરોના વાયરસના કેસને લઈને સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે મહામારીથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
પરિણામે રાજ્યમાં ફરી એક વાર રાજ્યમાં ફરી લોકડાઉન કરવાની ફરજ પડી છે. ગુરૂવારે રાજ્ય સરકારે ફરી એક વાર ગાઈડલાઈન જાહેર કરી જેમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન વધારી દીધુ છે.
મહારાષ્ટ્રમાં 5 ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં બાર અને રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જ્યાં 50 ટકા ક્ષમતા સાથે બાર અને રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યા હતા, તો વળી શાળા અને કોલેજોને તથા કોચિંગ સેન્ટરોને હાલ પુરતા બંધ રાખવાની જ ફરજ પાડી છે. રાજ્ય સરકારે મંગળવારે જ પશ્ચિમ રેલ્વે અને સેન્ટ્રલ રેલ્વેને પત્ર લખીને લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવાની ભલામણ કરી છે.
બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ રાજ્યમાં દર 16મી મિનીટે એક મૃત્યુ થાય છે અને એક કલાકમાં 281 નવા કેસ આવે છે. જોકે મહારાષ્ટ્રમાં 11 જીલ્લા એવા પણ છે જ્યા કોરોનાને લીધે એકેય મૃત્યુ થયા નથી.