થાણેના વાગળે એસ્ટેટમાં ફરી દીપડાનો ફફડાટ

06 May, 2026 02:33 PM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

રાત્રિના સમયે બહાર નીકળતા લોકો અને નાનાં બાળકોના વાલીઓને વિશેષ કાળજી લેવાની તાકીદ કરવામાં આવી છે.

કૈલાસનગર વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો.

સંજય ગાંધી નૅશનલ પાર્કની સરહદને અડીને આવેલા થાણેના વાગળે એસ્ટેટના કૈલાસનગર વિસ્તારમાં ફરી એક વાર રવિવારે મોડી રાતે દીપડાની અવરજવર જોવા મળતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ વિસ્તાર નૅશનલ પાર્કની ડુંગરાળ સરહદ સાથે જોડાયેલો હોવાથી અવારનવાર વન્ય જીવો રહેણાક વિસ્તારોમાં આવી જાય છે. દીપડાના ભયને જોતાં સ્થાનિક વન વિભાગે નાગરિકોને અત્યંત સાવધાન રહેવાની ચેતવણી આપી છે. ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળતા લોકો અને નાનાં બાળકોના વાલીઓને વિશેષ કાળજી લેવાની તાકીદ કરવામાં આવી છે.

mumbai news mumbai sanjay gandhi national park thane wildlife