લતા મંગેશકર હજી થોડા દિવસ આઇસીયુમાં રહેશે

17 January, 2022 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લતા મંગેશકરને ગયા અઠવાડિયે મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં

લતા મંગેશકર

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના સ્વાસ્થ્યની જાણકારી આપતાં તેમના ડૉક્ટરે કહ્યું હતું કે લતાજીએ હજી થોડા દિવસ ડૉક્ટરોની નિગરાનીમાં આઇસીયુમાં રહેવું પડશે. 
ભારત રત્ન મેળવનારાં ૯૨ વર્ષનાં લતા મંગેશકરને ગયા અઠવાડિયે મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને કોરોનાવાઇરસના સંક્રમણ સાથે ન્યુમોનિયા થયો છે. 
તેમની સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતીત સમદાનીએ કહ્યું હતું કે તેઓ કેટલા દિવસ માટે ડૉક્ટરોની દેખરેખ હેઠળ રહેશે એ હાલમાં કહેવું મુશ્કેલ છે. કોઈને પણ લતાજીને મળવાની પરવાનગી નથી એમ જણાવતાં તેમણે લતાજીના ચાહકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.

mumbai mumbai news lata mangeshkar breach candy hospital breach candy