અવસર: જાણો આજે મુંબઈમા યોજાનારા કાર્યક્રમો વિશે

07 May, 2022 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલી અને દાદર ખાતે એક-એક કાર્યક્રમ

મિડ-ડે લોગો

શનિવારે દાદરમાં ‘ઑલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ઑપ્શન્સ’ પર કાર્યક્રમ

સીવીઓ ચાર્ટર્ડ ઍન્ડ કોસ્ટ અકાઉન્ટન્ટ્સ અસોસિએશન દ્વારા શનિવારે સાંજે દાદરમાં જાહેર જનતા માટે ‘ઑલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ઑપ્શન્સ’ પર હિન્દીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએ વિજય મંત્રી અને સીએ નૌશાદ પંજવાની તેમનું વક્તવ્ય આપશે. સ્થળઃ યોગી સભાગૃહ, દાદર (ઈસ્ટ). સમય : સાંજના ૫.૦૦થી ૭.૩૦.

બોરીવલીમાં ‘ઝરૂખો’નો ફરી પ્રારંભ; પ્રથમ કાર્યક્રમમાં આજે દિલીપ રાવલ

બાવીસ મહિના અગાઉ સ્થગિત થયેલા ઝરૂખોના સાહિત્યિક કાર્યક્રમોનો હવે આજથી ફરી પ્રારંભ થઈ રહ્યો છે. 
ઝરૂખોના ચાહકો ઝરૂખોની બીજી ઇનિંગની જે રાહ જોઈ રહ્યા હતા એના પ્રથમ કાર્યક્રમમાં આજે સાંજે જાણીતા કવિ, લેખક, અભિનેતા દિલીપ રાવલ ‘મારી કેફિયત-નાટ્યકાર તરીકે’ની રજૂઆત કરશે. આ કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે. 
આ કાર્યક્રમમાં બેઠક-વ્યવસ્થા વહેલો તે પહેલોના ધોરણે છે અને સર્વેને જાહેર નિમંત્રણ છે. હવે પછીના કાર્યક્રમમાં ઝરૂખો, સુગમ સંગીત તથા લોકગીતોના શાળા-કૉલેજના યુવા ગાયકોને સામેલ કરવા માગે છે. યુવા કલાકારોને પોતાની નાની વિડિયો ક્લિપ વૉટ્સઍપ નંબર  ૯૮૨૧૦૬૦૯૪૩ ઉપર મોકલવા સૂચન છે. 
કાર્યક્રમનું સ્થળ - સાંઈબાબા મંદિર, સાંઈબાબા નગર, બોરીવલી (વેસ્ટ)‍‍‍‍‍. સમયઃ સાંજે ૭.૧૫ વાગ્યે.

mumbai mumbai news