01 August, 2012 05:18 AM IST |
ભુલેશ્વરમાં દ્વારકાભવનમાં જૂન મહિનાની ૧૧ તારીખે મામાજી કુરિયર ઍન્ડ કાર્ગો કંપનીમાં બાવીસ વર્ષના જિતુ સદારંગાણી ઉર્ફે ગોવિંદની થયેલી હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-બેના પોલીસ-અધિકારીઓએ નાગપાડામાં મદનપુરાના રહેવાસી ૨૯ વર્ષના તાલ્હા મોહમ્મદ મુનાફ અન્સારીની ધરપકડ કરી હતી.
આ હત્યા કરીને આરોપીએ કુરિયર કંપનીમાં આશરે ૯,૫૦,૦૦૦ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ રૂપિયાથી તેણે પોતાના પર થયેલા દેવાને ચૂકવી દીધું હતું. પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી ૫,૪૮,૦૦૦ રૂપિયા મળી આવ્યા હતા.
આરોપીએ પોલીસને કહ્યું હતું કે મને સલમાન ખાન ખૂબ જ ગમે છે અને તેને મળવા હું ખાસ ‘દબંગ’ના સેટ પર પણ ગયો હતો અને તેની સાથે મેં ફોટો પણ પડાવ્યો હતો.