ખાર મર્ડર કેસ: પોલીસે ક્રાઇમ સીન રીક્રેએટ કર્યો

10 January, 2021 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાર મર્ડર કેસ: પોલીસે ક્રાઇમ સીન રીક્રેએટ કર્યો

જ્હાનવી (ડાબે) તેની માતા, નિધિ સાથે

ખારના ભગવતી હાઇટ્સ બિલ્ડિંગની ટેરેસ પર આયોજિત કરાયેલી ન્યુ યર પાર્ટી બાદ કરાયેલી ૧૯ વર્ષની જ્હાનવી કુકરેજા મર્ડર કેસમાં ગઈ કાલે તપાસકર્તા ખાર પોલીસે મર્ડર સ્પૉટ પર જઈ હત્યાનો સીન રીક્રેએટ કર્યો હતો.

કેસના મુખ્ય આરોપી બાવીસ વર્ષના જોધનકરને શુક્રવારે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યા બાદ આ કેસમાં પકડાયેલી તેની સાથી આરોપી દિયા પડાળકર સાથે તેને ગઈ કાલે ક્રાઇમ સ્પૉટ પર લઈ જવાયો હતો. સ્થાનિક પોલીસ સાથે ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટના પાંચ ઑફિસર અને ડૉગ સ્ક્વોડ પણ હતી. તેમણે ક્રાઇમ સીન રીક્રેએટ કર્યો હતો. મૃતક જ્હાનવીના હાઇટ-વેઇટ જેટલા બે ડમી (પૂતળાં) પણ બનાવવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા બહુ ખાસ માહિતી અપાતી નથી. બીજા માળથી લઈને નીચેના ગ્રાઉન્ડ ફ્લોર સુધી લોહીના ડાઘા મળી આવ્યા છે. એથી એક શક્યતા એવી દર્શાવાઈ છે કે શ્રી અને દિયા જ્હાનવીને મારતાં-મારતાં નીચે સુધી લાવ્યાં હોવા જોઈએ અથવા તેને મારીને બીજા માળેથી ફગાવી પણ દીધી હોઈ શકે. એથી આ બાબતે પણ તપાસ કરાઈ હતી.

એ ઉપરાંત પાર્ટીમાં દારૂ તો બધાએ પીધો જ હતો, પણ દિયાએ તેના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે પાર્ટીમાં આવતાં પહેલાં જ શ્રીએ સિગારેટમાં ગાંજો પીધો હતો. પોલીસ એ તપાસવા માગી રહી છે કે શું પાર્ટીમાં ડ્રગ્સનું આયોજન કરાયું હતું?

mumbai mumbai news khar Crime News mumbai crime news mumbai police