28 May, 2020 07:27 AM IST | Thane | Agencies
બીએમસીના ડૉક્ટરો
કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના એક ૪૦ વર્ષના ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ મળ્યા પછી મહાપાલિકાની વહીવટી ઇમારતને બંધ કરવામાં આવી છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હવે એ ઇમારતને સૅનિટાઇઝ કરવામાં આવશે અને ઇફેક્ટેડ ડૉક્ટરના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ પર સૌથી વધારે જોખમ હોય એમની શોધ ચાલે છે. દરમ્યાન થાણેના ૧૦ ડૉક્ટરોના કોરોના રિપોર્ટ્સ પૉઝિટિવ આવતાં ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના થાણે એકમે ચિંતા વ્યક્ત કરી હતી. એ ૧૦ ડૉક્ટરો જનરલ ફિઝિશ્યન્સ છે અને એમની સારવાર ચાલે છે.