મલાડમાં જ્વેલર્સને ત્યાં ઘરફોડી

13 October, 2011 08:29 PM IST  | 

મલાડમાં જ્વેલર્સને ત્યાં ઘરફોડી



આ વિશે દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનાયક કાકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે આઠ વાગ્યે દુકાનના માલિક મુકેશ જૈને દુકાન ખોલી ત્યારે ઘરેણાં વેરવિખેર પડેલાં હતાં. ફૉરેન્સિક એક્સપર્ટ અને ડૉગ-સ્ક્વૉડની મદદથી પોલીસે તપાસ હાથ ધરી હતી.

કુલ મળીને ૧૨ લાખ રૂપિયાનાં સોના-ચાંદીનાં ઘરેણાંની ચોરી થઈ હોવાનું તપાસ બાદ જાણવા મળ્યું હતું.’

વિનાયક કાકડેએ વધુમાં જણાવ્યું હતું કે ‘આ કેસમાં દુકાનમાં કામ કરતા નોકર ૧૯ વર્ષના દિલીપ પ્રજાપતિનો હાથ હોવાનું લાગી રહ્યું છે, કારણ કે ઘટના બની ત્યારથી તે ગાયબ થઈ ગયો છે. તેને પોલીસ શોધી રહી છે.’