30 November, 2011 07:53 AM IST |
આ ઍપ્લિકેશનની સુનાવણી આજે છે. પૉલ્સનની કસ્ટડી લેવી જરૂરી છે, કારણ કે હાલમાં મહત્વના સ્ટેજ પર ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અને મર્ડરની ઘટના બની એ પહેલાં જિજ્ઞા પૉલ્સનને મળી હોઈ શકે છે એવી પોલીસે શંકા વ્યક્ત કરી છે. પૂછપરછ પરથી જ ખબર પડશે કે જિજ્ઞા અને પૉલ્સન પહેલાં મળ્યાં છે કે નહીં. પૉલ્સનની આ પહેલાં પાકમોડિયા સ્ટ્રીટ પર ૧૭ મેએ અન્ડરવલ્ર્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરના બૉડીગાર્ડ પર થયેલા ફાયરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં બૉડીગાર્ડનું મૃત્યુ થયું હતું. પૉલ્સન પર જે. ડે મર્ડરકેસમાં અને પાકમોડિયા સ્ટ્રીટના ફાયરિંગ કેસમાં આરોપીઓને ગ્લોબલ સિમ-કાર્ડ આપવાનો આરોપ હતો, જે દ્વારા આરોપીઓ છોટા રાજનના ટચમાં રહેતા હતા.
જે. ડેનું પવઈમાં ૧૧ જૂને બાઇક પર આવેલા અમુક લોકોએ ફાયરિંગ કરી મર્ડર કર્યું હતું. આ મર્ડર કરાવવા પાછળ છોટા રાજનનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક ઇંગ્લિશ ન્યુઝપેપરમાં ડેપ્યુટી બ્યુરો ચીફ તરીકે કામ કરતી જિજ્ઞાની ૨૫ નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર જે. ડેની માહિતી છોટા રાજનને આપવાનો આરોપ છે. પોલીસે તેના લૅપટૉપ ડેટા, મોબાઇલ ફોન અને બીજા ડેટા ઑફિસમાંથી જપ્ત કર્યા છે અને એ ફૉરેન્સિક ઍનૅલિસિસ માટે મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી આ કેસમાં ૧૧ જણની ધરપકડ કરવામાં આવી છે.