19 October, 2011 09:06 PM IST |
તેમણે કેન્દ્રની યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારની ભ્રષ્ટાચાર અને દેશમાં બેરોજગારીના મુદ્દે ઝાટકણી કાઢી હતી. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે યુવા સેના હંમેશાં યુવાનો અને ખાસ કરીને કૉલેજના વિદ્યાર્થીઓની સમસ્યાનું નિવારણ કરવામાં અગ્રેસર રહેશે.
યુવા સેના રાજકારણમાં પોતાની છાપ છોડશે : આદિત્ય ઠાકરે
યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ ગઈ કાલે એવી ટિપ્પણી કરી હતી કે ‘હું કાયદાનો અભ્યાસ કરી રહ્યો છું. રાજકારણમાં કાયદાનું ઘણું મહત્વ છે. કયો કાયદો બનાવવો અને કયા કાયદાનું ઉલ્લંઘન કરવું એની માહિતી આમાંથી મળશે.’
આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ‘જો યુવા શબ્દને ઊંધો કરવામાં આવે તો એનો અર્થ વાયુ થાય છે અને એ હવે વંટોળમાં રૂપાંતરિત થઈ રહ્યો છે. પક્ષ મહારાષ્ટ્રમાં સારું કામ કરી રહ્યો છે, રાજસ્થાનમાં પણ સારું કામ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં કાશ્મીરમાં પોતાનું કામ શરૂ કરશે જે ભારત દેશનો એક ભાગ છે.’
રામલીલા મેદાનની પોતાની મુલાકાત વિશે આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે જ્યાં ભ્રષ્ટાચાર છે ત્યાં શિવસૈનિકો એનો વિરોધ કરશે.