છાતીમાં હિંમત હોય તો ઇસ્લામવિરોધી ફિલ્મ બનાવી કરાચીમાં દેખાડી બતાવો : તરુણસાગર મહારાજ

30 December, 2014 03:30 AM IST  | 

છાતીમાં હિંમત હોય તો ઇસ્લામવિરોધી ફિલ્મ બનાવી કરાચીમાં દેખાડી બતાવો : તરુણસાગર મહારાજ




ફિલ્મ pkમાં હિન્દુ ધર્મની હાંસી ઉડાવી હોવાના મુદ્દે દેશભરમાં આ ફિલ્મ સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે ત્યારે ક્રાન્તિકારી રાષ્ટ્રસંત મુનિ તરુણસાગર મહારાજે દિલ્હીમાં કહ્યું હતું કે છાતીમાં હિંમત હોય તો ઇસ્લામના વિરોધમાં આવી ફિલ્મ બનાવીને કરાચીમાં બતાવો.

pk સામે થઈ રહેલા દેશવ્યાપી વિરોધ વિશેના એક સવાલના જવાબમાં નવી દિલ્હીમાં પ્રીત વિહાર વિસ્તારમાં ચાલી રહેલા સત્સંગ કાર્યક્રમમાં મુનિ તરુણસાગર મહારાજે કહ્યું કે ‘ફિલ્મો મનોરંજન માટે હોય છે, કોઈની મજાક ઉડાડવા માટે નહીં. કોઈ પણ ધર્મનાં દેવી–દેવતાઓની મજાક ઉડાવવી એ ખોટું છે. હિન્દુ ધર્મ સહિષ્ણુ છે એટલા માટે લોકો એની મજાક ઉડાવવાની કોશિશ કરતા રહે છે. હિંમત હોય છાતીમાં તો ઇસ્લામના વિરોધમાં એવી ફિલ્મ બનાવીને દેખાડો કરાચીમાં.’