પહેલી જૂનથી રોજ દોડશે 200 ટ્રેનઃ ટૂંક સમયમાં માહિતી જાહેર કરાશે

20 May, 2020 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી જૂનથી રોજ દોડશે 200 ટ્રેનઃ ટૂંક સમયમાં માહિતી જાહેર કરાશે

ટ્રેનની પ્રતીકાત્મક તસવીર

પોતાના વતન પરત ફરવા માંગતા પરપ્રાંતિયો માટે ખૂબ જ રાહતના સમાચાર છે. ૧ લી જૂનથી રેલવે દરરોજ ૨૦૦ જેટલી નોન-એસી ટ્રેન દોડાવાશે. એવું રેલવે મિનિસ્ટ્રી દ્વારા ગઈ કાલે જણાવાયું છે. જો કે આ ટ્રેનનું બુકીંગ માત્ર ઓનલાઇન જ કરી શકાશે. ક્યાંથી અને કેટલા વાગે આ ટ્રેન ઉપડશે એની માહીતી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલ દેશમાં દોડી રહેલી શ્રમિક સ્પેશયલ ટ્રેન ઉપરાંત આ ટ્રેનો દોડાવવામાં આવશે.

આ ટ્રેનોમાં વેટિંગ લિસ્ટની ટિકિટ પણ મળી શકે છે, પરંતુ તાત્કાલિક અથવા પ્રીમિયમ તત્કાલ વ્યવસ્થા નહીં હોય. આ ટ્રેનોનું બુકિંગ રેલવેની IRCTCની વેબસાઇટ દ્વારા પણ કરવામાં આવશે. કયા દિવસથી બુકિંગ શરૂ થશે તે અંગે તમને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

mumbai news mumbai trains piyush goyal indian railways coronavirus lockdown