લોકલ ટ્રેનના નેટવર્ક માટે રેલવેએ ૧૬,૨૪૧ કરોડ રૂપિયા ફાળવ્યા

27 July, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલની લાઇન પર બહુ કન્જશન થાય છે એ દૂર કરવા સર્વિસની ફ્રીક્વન્સી વધી શકે અને પ્રવાસીઓને સારી સુવિધા મળી શકે એ માટે આ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈગરા માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ મુંબઈના સબર્બન રેલવે નેટવર્કમાં ગિરદી ઘટાડવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને સર્વિસની ફ્રીક્વન્સી સુધારવા ૧૨ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે અને એ માટે ૧૬,૨૪૧ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે એમ કેન્દ્રના રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે.

અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘હાલની લાઇન પર બહુ કન્જશન થાય છે એ દૂર કરવા સર્વિસની ફ્રીક્વન્સી વધી શકે અને પ્રવાસીઓને સારી સુવિધા મળી શકે એ માટે આ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. રીજનલ કનેક્ટિવિટી અને મૉડર્નાઇઝેશન માટે રેલવેએ ૧૨ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. એ સિવાય ગિરદીને કારણે થતા અકસ્માત રોકવા અને પ્રવાસીઓની સેફ્ટી માટે ૨૩૮ નવી ઍર-કન્ડિશન્ડ અને ઑટોમૅટિક ડોરવાળી લોકલ ટ્રેન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે.’

૧૨ પ્રોજેક્ટ્સ જે પ્રવાસીઓની હાડમારી ઘટાડશે 

 CSMT-કુર્લા પાંચમી અને છઠ્ઠી લાઇન‌ ‌(૧૭.૫ કિલોમીટર – ૮૯૧ કરોડ રૂપિયા)

 હાર્બર લાઇન લંબાવાશે - ગોરેગામથી બોરીવલી (૭ કિલોમીટર - ૮૨૬ કરોડ રૂપિયા)

 બોરીવલી-વિરાર પાંચમી અને છઠ્ઠી લાઇન (૨૬ કિલોમીટર - ૨૧૮૪ કરોડ રૂપિયા)

 વિરાર-દહાણુ રોડ ત્રીજી અને ચોથી લાઇન (૬૪ કિલોમીટર - ૩૫૮૭ કરોડ રૂપિયા)

 પનવેલ–કર્જત સબર્બન રૂટ (૨૯.૬ કિલોમીટર - ૨૭૮૨ કરોડ રૂપિયા)

 ઐરોલી–કલવા એલિવેટેડ સબર્બન કૉરિડોર કનેક્શન (૩.૩ કિલોમીટર - ૪૭૬ કરોડ રૂપિયા)

 કલ્યાણ-આસનગાંવ ચોથી લાઇન (૩૨ કિલોમીટર - ૧૭૫૯ કરોડ રૂપિયા)

 કલ્યાણ–બદલાપુર ચોથી લાઇન (૧૪ કિલોમીટર - ૧૫૧૦ કરોડ રૂપિયા)

 કલ્યાણ–કસારા ત્રીજી લાઇન (૬૭ કિલોમીટર - ૭૯૩ કરોડ રૂપિયા)

 નાયગાંવ–જુચંદ્ર ડબલ ટ્રૅક લાઇન (૬ કિલોમીટર - ૧૭૬ કરોડ રૂપિયા)

 નિલજે–કોપર ડબલ ટ્રૅક લાઇન (પાંચ કિલોમીટર - ૩૩૮ કરોડ રૂપિયા)   

mumbai railways indian railways western railway central railway news mumbai mumbai trains mumbai local train mumbai news AC Local mumbai transport