29 December, 2011 05:19 AM IST |
બીએમસીના અધિકારીઓના મતે મોટે ભાગે આવાં ગેરકાયદે હોર્ડિંગ્સ રાત્રે લગાવાતાં હોવાથી તેમની વિરુદ્ધ કોઈ પગલાં લઈ નથી શકાતાં. ‘મિડ-ડે’ દ્વારા ગઈ જન્માષ્ટમીના દિવસે પ્રગટ કરવામાં આવેલા અહેવાલ મુજબ ૩૪૫ પરમિશન લેવામાં આવી હતી અને એની સામે ૪૦૦૦ કરતાં વધુ ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં હતાં. સુધરાઈએ કુલ ૧૩૯૪ જેટલાં હોર્ડિંગ્સ હટાવ્યાં હતાં. ત્યાર બાદ શિવસેનાના વડા બાળ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે કાર્યકરોએ હજારોની સંખ્યામાં પોસ્ટરો લગાડીને નિયમનો ભંગ કર્યો હતો. શિવસેનાએ એ માટે પરમિશન માત્ર ૪૨ની જ લીધી હતી.