16 February, 2021 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ દેશમુખ
રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગઈ કાલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘મેં લતા મંગેશકર કે સચિન તેન્ડુલકરની તપાસ કરવાનું નહોતું કહ્યું. મારા સ્ટેટમેન્ટનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. આખા દેશ માટે તેઓ ભગવાન છે. તેમની તપાસ કરવાનું મેં ક્યારેય નહોતું કહ્યું. મારો કહેવાનો અર્થ બીજેપીના આઇટી સેલની તપાસ કરવાનો હતો.’
આ પહેલાં ગૃહપ્રધાનના સ્ટેટમેન્ટને લઈને બીજેપી એકદમ આક્રમક થઈ ગઈ હતી અને ભારત રત્નની તપાસ કરવા બદલ સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી.